શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવમાં અષ્ટમીના દિવસે માતાજીની સમૂહ મહાઆરતી


રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ–૨૦૨૫ અંતર્ગત આસો સુદ અષ્ટમીના દિવસે માતાજીની સમૂહ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ રાસોત્સવનો આનંદ ખેલૈયાઓ લઈ રહ્યા છે અને આવનારા મંગળવાર, તા. ૩૦-૦૯-૨૦૨૫ના રોજ રાત્રે ૧૦.૩૦ કલાકે વિશેષ સમૂહ મહાઆરતી યોજાશે. આ વિશેષ સમૂહ મહાઆરતી પી.ડી. માલવીયા કોલેજ સામે, ગોંડલ રોડ પર આવેલ મેદાન માં રાખવામાં આવ્યું છે.

મહાઆરતીના આ પાવન પ્રસંગે માતાજીની સ્તુતિ સાથે દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાશે, જેમાં સમાજના જ્ઞાતિજનો તથા ભક્તોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને યાદગાર બનાવવા અધ્યક્ષશ્રી મુકેશભાઈ આર. વડગામા, પ્રમુખશ્રી રસિકભાઈ ડી. બદ્રકીયા, માનદ્ મંત્રીશ્રી પ્રદિપભાઈ કે. કરગથરા સહિત ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ દ્વારા આમત્રણ આપવામાં આવ્યું છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું