રાજકોટમાં લુહાર સમાજ માટે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ


રાજકોટ શહેરમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા સમસ્ત લુહાર સમાજ માટે એક હૃદયસ્પર્શી અને પ્રથમવારની અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજમાં દીકરીઓને મળતી માન-મર્યાદા અને તેમના માતાપિતાને સન્માન આપવા હેતુથી આ પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટ તરફથી જણાવાયું છે કે જેઓના ઘરે બે અથવા બે થી વધુ દીકરીઓ છે, એવા પરિવારોને આ કાર્યક્રમમાં વિશેષ સન્માનિત કરવામાં આવશે. સન્માન માટે માતા-પિતા તથા દીકરીઓની હાજરી ફરજીયાત રહેશે.

કાર્યક્રમ માટે જરૂરી વિગતો:

માતા-પિતાનું સંપૂર્ણ નામ (અટક સહિત)

ઘરનું સરનામું

કેટલી દીકરીઓ છે

દીકરીઓનાં નામ અને ઉંમર

આ વિગત 20 ડિસેમ્બર, 2025 સુધી મોકલવાની રહેશે.

વિગતો મોકલવાનો નંબર: 📞 84018 05511

ટ્રસ્ટ મુજબ કાર્યક્રમ રાજકોટમાં જ યોજાશે. સ્થળ અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

આ આયોજન સંપૂર્ણપણે નિશુલ્ક હોવાથી દરેક પાત્ર પરિવાર તેનો લાભ લઈ શકે છે.

લિમિટેડ સંખ્યામાં જ નોંધણી થનારી હોવાથી ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ આધારે નામ નોંધાશે.

સમાજ સેવા રૂપે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું