વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા- "રામ સેતુ એજ નલ સેતુ"


 II જય વિશ્વકર્મા II

વિશ્વકર્મા કાવ્ય સ્પર્ધા- 

રામ સેતુ એજ નલ સેતુ

જ્યારે રામને ભાળ મળી લંકાની;

સાગર પારે રોવણહાર રાવણની.

જ્યારે આજીજી રામની, સાગરે ન જાણી ;

ધનુષ્ય ઉઠાવ્યુ રામે, યુદ્ધ એજ કલ્યાણ જાણી. 

પગમા પડ્યો જલધી, થર થર કાંપીને;

બોલ્યો સેતુ બાંધી બચાવો, સઘળા જલચરને. 

આપની પાસે નલ નીલ, બન્ને વીર ખજાના ;

જેમા નલ સ્વયંમ અવતાર વિશ્વકર્માના.

નીલ યોદ્ધો સ્વયં અવતાર અગ્નીનો;

બાંધે બન્ને 'નલ સેતુ', એજ 'રામ સેતુ' મજાનો.

શ્રાપ સ્વયં, વરદાન બનીને;

તરતા પત્થર, નલના હાથ અડીને.

બની ગયેલો 'નલ સેતુ', જે પાર કરીને;

આપ્યુ 'રામ સેતુ' નામ, સૌએ નિષ્ઠા કરીને.

ઉતરી સામા કિનારે સેના, સેતુ પાર કરીને;

નલ નિલ ના ગુણલા, મજાના ધ્યાને ધરીને.

વીર યોદ્ધાઓના, જય જયકાર કરીને;

રામે રોળ્યો રાવણ, રણમાં યુદ્ધ કરીને.

રામના યજ્ઞઘોડાની પણ, રક્ષા કરી જેને;

નલ નીલે અશ્વમેધ યજ્ઞને, પૂરો કરાવી તેને.

સંસ્કાર આપ્યા જેમને, વીર હનમાને;

છે જમણો હાથ હમેશા, પવિત્ર કાર્ય કરવાને. 

આજ પર્યંત સર્વ લોક એમજ માને;

આજ્ઞા નલ નિલની જ સૌ કોઈ લે ધ્યાને.

હેતુ સરે ત્યારે, જ્યારે પોતાના જ વંશને ;

શાપ મુક્ત કરાવે, એ નીજની જ કલાને.

રામાયણ સંદેશ આપે ફરી ફરીને;

સુંદર સર્જનમાં રૂપાંતરિત કરી કરીને.

જે સંસ્કાર,શ્રાપ,શક્તિ અને શ્રદ્ધાને;

સમન્વીત કરે કાર્યમાં પરિવર્તીત કરી કરીને.

ગોરવ અપાવે એ વિશ્વકર્મા વંશજોનો;

આજ પર્યંત ધરોહર જે સેતુ ત્રેતા યુગનો. 

રચના: 

મહેન્દ્રભાઈ બી. વડગામા 

(રાજકોટ)

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું